સરોજિની જિતેન્દ્ર (ડૉ.)
પ્રત્યેક માનવીના જીવનમાં એક ક્ષણ એવી ઊગે છે, જ્યારે તેને પ્રશ્ન થાય છે : હું કોણ છું?
એકવીસમી સદી વિજ્ઞાનની સદી છે. વિજ્ઞાનમય વિશ્વમાં જીવન જીવનાર માનવી, જો “માનવ” તરીકેની પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવામાં નિષ્ફળ નીવડશે, તો માણસ અને રૉબોટમાં કોઈ ફરક નહીં રહે.
‘જાત સાથે વાત’ પુસ્તક જીવનતત્ત્વોની ઓળખ કરાવવાનો અને તેને વૈજ્ઞાનિક સંદર્ભે સમજાવવાનો એક એવો પ્રયાસ છે; જે વાચકને પોતોની જિંદગીમે તેના યથોચિત સ્વરૂપે જાણવાનું, સમજવાનું અને પામવાનું સામર્થ્ય કેળવવા પ્રેરશે.