ગોસ્વામી તુલસીદાસ
श्री तुलसीदासजी कृत महान ग्रंथ रामचरितमानस के यह संस्करण में आप बारह विश्राम में बालकाँड तक की चोपाईयाँ पढ़ पाएँगे। साथ ही हर एक विश्राम के साथ जूड़े हुए QR Code को स्कॅन करने से आप उस विश्राम की चोपाईयाँ सुन भी सकेंगे।
₹350.00
કાનજી પટેલ
ભારતની ગ્રામીણ અને આદિવાસી સંસ્કૃતિના કવિ અને સર્જક કાનજીભાઈનું સાહિત્ય હિન્દી, મરાઠી, કન્નડ અને અંગ્રેજી જેવી ભાષાઓમાં અનૂદિત થયું છે. ભારતીય આદિવાસી ભાષાઓની સમકાલીન કવિતાઓના સંચયમાં તેમનું મહત્ત્વનું યોગદાન છે.
₹275.00
રમેશ પારેખ
સંજય વૈદ્ય દ્વારા સંપાદિત કવિ શ્રી રમેશ પારેખનાં ચુનંદા સર્જનો અને નોખા મિજાજનો પરિચય કરાવતું આ પુસ્તક એક કલેક્ટર્સ એડિશન બની રહેશે. દરેક પાને મુકાયેલ ર.પા.ની અલાયદી તસવીરોમાંથી તેઓ વાચક સાથે જાણે વાત કરતા હોય તેવી અનુભૂતિ થાય છે.
ભરત ગોહેલ (ડૉ.)
ગુજરાતી સાહિત્યમાં ભક્તિરસથી સભર કાવ્યોની પરંપરા આદિકાળથી ચાલતી આવી છે. ભરતભાઈ આ પરંપરામાં પોતાનો આગવો સૂર ઉમેરે છે. ગોંડલ સ્થિત પૂજ્ય નાથાભાઈ અને રમાબેનના સાનિધ્યમાં આવતા ભરતભાઈને ઈશ્વર અને પરમતત્વ સાથે તાદાત્મ્ય કેળવાતું જાય છે.
₹250.00
ચન્દ્રકાન્ત ટોપીવાળા
કવિ ચંદ્રકાન્ત ટોપીવાલા જીવનની દરેક ક્ષણ અને દરેક અનુભૂતિને કાવ્યમાં રૂપાંતરિત કરવા હંમેશાં સજાગ હોય છે. આવું તમે પણ માનશો જ્યારે એમના તરોતાજા કાવ્યસંગ્રહ ‘કાલવેગ’માંથી પસાર થશો.
₹150.00
સતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’
બૌદ્ધ ધર્મદર્શનને પોતાના અનુયાયીઓ સુધી પહોંચાડવા બૌદ્ધ સિદ્ધો દ્વારા રચવામાં આવેલાં ગીતો એટલે ચર્યાગીતો. આ ગીતોની મૂળ હસ્તપ્રતો નેપાળી-તિબેટી ભાષામાં મળી આવી.
ચિત્રા દેસાઈ
ચિત્રા દેસાઈ માટે કાવ્યલેખન પ્રક્રિયા કેવી છે? તે માટે તેઓ એક અત્યંત સુંદર કલ્પન આપે છે તે છે બાજ પક્ષીનું. આ પક્ષી જે રીતે પોતાના આયુષ્યના ચાલીસ વર્ષ પછી તેની ચાંચ ઘસી-ઘસીને કાયાકલ્પ માટે અણીદાર કરે છે અને નવું આકાશ શોધે છે.
₹200.00
પ્રદીપ ખાંડવાળા
કવિશ્રી પ્રદીપ ખાંડવાળા દ્વારા પ્રથમ અંગ્રેજીમાં રચાયેલાં અને પોતે જ કરેલા ગુજરાતીમાં અનુદિત 300થી વધુ કાવ્યોનો સંગ્રહ છે. પંદર પ્રકરણોમાં વહેંચાયેલો આ કાવ્યસંગ્રહ- ભૂતકાળ અને ભવિષ્યકાળનાં અસ્તિત્વો, સત્યના સત્ય, ઝાંખીઓ, સંબંધો, આપખુદી અને અનુકંપા,
₹525.00
અગન રાજ્યગુરુ
આ એકવીસમી સદીના બીજા અને ત્રીજા દાયકામાં અગાઉ કરતા સંખ્યાધિક અને નરવા કવિઓના અવાજ સંભળાય છે. એ બધામાં નોંધ લઈ શકાય એવા કવિ એટલે શ્રી અગન રાજ્યગુરુ. એમનાં વિશે કશું પણ કહેવું એનાં કરતા એમની ગઝલોને જ બોલવા દઈએ.
₹225.00
પ્રતિષ્ઠા પંડ્યા
જેમ શીર્ષક સૂચવે છે તેમ, આ સંગ્રહનાં કાવ્યોમાં કવયિત્રી અનેક વિષમ પરિસ્થિતિઓ અને યુદ્ધની વિભીષિકાઓ વચ્ચે પ્રેમ અને માણસાઈ જેવાં સંવેદનોને શોધવાનો પ્રયત્ન કરે છે. પછી એ મહાભારત હોય કે કલિંગનું યુદ્ધ હોય, બીજું વિશ્વયુદ્ધ હોય કે ગાઝા પર થયેલાં આક્રમણો.
₹300.00
યોગેશ વૈદ્ય
અહીં એક એવા પરિવારની વાત છે જેણે કદી શહેરની સડક ભાળી નથી. જંગલની મધ્યે નેસમાં વસતા પરિવાર માટે જંગલ જ તેમની સૃષ્ટિ છે જન્મ અને મરણ જેવા પ્રકૃતિગત સત્યને સ્વસ્થતાથી અને સહજતાથી સ્વીકારનાર આ મનુષ્યોને ગીરની માટી પ્રત્યે અનન્ય શ્રદ્ધા છે.
પ્રીતિ શાહ સેન-ગુપ્તા
બંગાળમાં બનતી એક સ્વાદિષ્ટ અને પ્રચલિત વાનગી એટલે પાંચ મેશાલી, જેના પરથી પરથી પ્રીતિ શાહ-સેનગુપ્તાએ પોતાના નવા પુસ્તકને શીર્ષક આપ્યું, જેમાં સામેલ છે જુદા-જુદા લેખનપ્રકારો, જેમ કે લલિત નિબંધો, પ્રવાસ નિબંધો, વાર્તાઓ, મૌલિક કાવ્યો અને અનૂદિત કાવ્યો.
₹475.00
સંજુ વાળા
આપણી ભાષાના પ્રધાન કવિઓનાં સર્જનોનો ભાવસભર આસ્વાદ કરાવતું આ પુસ્તક રચનાની કઈ પંક્તિ કયો ભાવ પ્રગટાવે છે, દરેક રચના પાછળ શું ઇંગિત છે, કયા પરિબળોની ઉપસ્થિતિથી કાવ્ય સિદ્ધ થાય છે, જેવી બાબતોની સૂક્ષ્મ સમજૂતી આપી કાવ્યની નિકટ લઈ જાય છે.
રીના પરીખ
પ્રેમ, વિરહ, ખુમારી, ખાલીપો, દર્દ જેવાં સંવેદનો ગઝલના શ્વાસ છે. રીનાબહેનની ગઝલોમાં આ તમામ સંવેદનો અલગ રીતે ખીલી ઊઠ્યાં છે. કોઈ વ્યક્તિ સાથે એકથી વધુ વખત થતા મિલનમાં કવયિત્રીને કોઈ વિશેષ સંબંધની શક્યતાનો અણસાર આવે છે.
રાધિકા પટેલ
વાર્તા, નવલકથા, ગઝલ જેવા વિવિધ સાહિત્યપ્રકારોમાં ખેડાણ કરનાર રાધિકા પટેલને તેમનો સ્વરબદ્ધ ગેય ગીતો પ્રત્યેનો લગાવ ગીતો લખવા પ્રેરે છે અને આપણને મળે છે તેમનો નવો ગીતસંગ્રહ ‘રંજાડી ઘોડા’.
ભાર્ગવી પંડયા
બોલચાલની ભાષામાં વપરાતા રદીફ અને એકંદરે ચુસ્ત કાફિયા સાથે રચાયેલી આ ગઝલોમાં ઓછા ખેડાયેલા છંદોનો સુંદર ઉપયોગ જોવા મળે છે, જે ગઝલોને અનોખો લય અને નાદ બક્ષે છે. સરળ-સહજ બાનીમાં ગઝલતત્ત્વ જન્માવતી આ ગઝલો આજના ગઝલકથનમાં આગવો પડઘો પાડે છે.
₹175.00
વિકી ત્રિવેદી
ક્યારેક જાત સાથે, ક્યારેક ઈશ્વર સાથે અને ક્યારેક પ્રકૃતિ સાથે સધાયેલા સંવાદોની ફળશ્રુતિ એટલે આ સંવેદનાનો વેદ. પોતાની આસપાસ આકાર લેતી વેદનાને પોતાની ગણી તેને સંવેદનાનું રૂપ આપવા વિકી ત્રિવેદીએ લીધો છે શબ્દોનો સહારો.
અનિલ જોશી
તળપદી બોલીમાં કાવ્યતત્ત્વના પ્રાણ પૂરી રચી ઉત્તમ કવિતાઓ, ભારતીય દંતકથાઓનાં પાત્રોને પોતાની કવિતામાં નોખી રીતે મઢ્યાં, કન્યાવિદાય જેવા પ્રસંગનું હૃદયદ્રાવક ગીત ઘરે-ઘરે ગૂંજતું કર્યું છે.
₹550.00