દક્ષા પટેલ
ઘોંઘાટ રહિત, શાંત અને સૌમ્ય રીતે પોતાની કવિતામાં વિદ્રોહનો સૂર રેલાવનાર કવિ કેદારનાથ સિંહ હિન્દી સાહિત્યનું પ્રચલિત નામ છે. આપણી આસપાસ દેખાતી તમામ વસ્તુઓ અને પાત્રો કેદારનાથજીના કાવ્યનો સ્ત્રોત બને છે.
₹150.00
સુજ્ઞા શાહ
‘ખાપછાડા’ એટલે કે અસંબદ્ધ, એકની સાથે બીજાનો મેળ નહીં એ વાત કવિએ સાર્થક કહી છે. કલ્પનાની એક અદ્ભુત સૃષ્ટિ ઊભી કરી છે. સમજુ ડોશીને પાંચ વડસાસુઓ હોય જે મીઠું પાનમાં નાંખે અને ચુનો શાકમાં નાંખે.
₹425.00
શૈલેશ પારેખ
આત્મપરિચય શીર્ષક અત્યંત સૂચક છે. અહીં આત્મકથા નથી, જીવનવૃત્તાંત નથી, માત્ર પોતાની અંગત દ્રષ્ટિએ પોતાનો પરિચય આપવામાં આવ્યો છે. હકીકતો અને વિગતોને અહીં સ્થાન નથી. આ લેખોમાં જીવનના વિવિધ તબક્કે રવીન્દ્રનાથે કરેલા આત્મનિરીક્ષણનો નિષ્કર્ષ પ્રગટે છે.
₹200.00
રવીન્દ્રનાથ ટાગોર
રવીન્દ્રનાથ ટાગોરના જીવનના અંતિમ દાયકામાં તેમની નિકટ રહી તેમની સેવા કરનાર રાણી ચંદ તેમના વિવિધ મિજાજ અને વાતોને પુસ્તકમાં કંડારે છે. ગુરુદેવ વહેલી પરોઢે સૂર્યોદયનું સ્વાગત કરી પોતાના નિત્યક્રમ પતાવી લખવા બેસતા.
₹275.00
રવીન્દ્રનાથ ટાગોર એક અદ્વિતીય સર્જક અને વિચારક હોવાની સાથે વિજ્ઞાનમાં પણ રસ ધરાવતા હતા. તો બીજી તરફ જગતને થિયરી ઑફ રિલેટિવિટીની ભેટ આપનાર વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇન સંગીતમાં ઊંડી સમજ ધરાવતા હોવાની સાથે માનવતાને સ્પર્શતા દરેક પ્રશ્ન સાથે નિસબત હતી.
₹225.00
ભારતમાતાનાં બે સંતાનો – એક પૂર્વમાં આવેલા બંગાળનાં તો બીજા પશ્ચિમમાં ગુજરાતનાં. એકે અંગ્રેજોની હકૂમતમાંથી ભારતને મુક્તિ અપાવી બીજાએ જગતના બૌદ્ધિક વર્તુળમાં ભારતને ગૌરવ અપાવ્યું.
₹250.00
શ્રીમતી રાણી ચંદ વર્ષ 1927માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં આવે છે.એક શિષ્યા, સેવિકા અને અનુયાયી તરીકે રાણી ચંદ મોટાભાગનો સમય ગુરુદેવ સાથે વિતાવે છે અને તેમની જીવનયાત્રાના સાક્ષી બને છે. તેમને રવીન્દ્રનાથના વિવિધ સ્વરૂપો જોવા મળે છે.
રવીન્દ્રનાથના અંતિમ દિવસો સુધી એમની સાથે રહેલાં રાણી ચંદ તેમની સહજ વાતો, ચર્ચાઓ અને વિવિધ પ્રસંગોની નોંધ કરતાં રહેતાં.રવીન્દ્ર સાહિત્યના ચાહકો અને વાચકોને આ પુસ્તક ગુરુદેવ અને તેમના પરિવારનો પરિચય કરાવી બંગાળની ઐતિહાસિક અને કલામય સફર કરાવે છે.
રશ્મિ ત્રિવેદી
વિશ્વપ્રસિદ્ધ વાર્તાકાર એનીનોર પોર્ટરની સુપ્રસિદ્ધ અંગ્રેજી નવલકથા, જેનો રશ્મિબહેન ત્રિવેદીએ ગુજરાતી અનુવાદ કરેલો, જે વર્ષ ૧૯૭૫માં પ્રકાશિત થયેલો. આ નવલકથાએ ગુજરાતી વાચકોનાં જ નહીં, પરંતુ લેખકોનાં પણ દિલ જીત્યાં.
₹350.00
કવિવર રવીન્દ્રનાથ ટાગોર અને એમનાં કાવ્યોએ વિશ્વભરના કાવ્યરસિકોને અભિભૂત કર્યા. તેમની અજાણી પ્રતિભાને ગુજરાતી વાચકો સુધી પહોંચાડવા રવીન્દ્ર સાહિત્યના અભ્યાસુ શૈલેશ પારેખે પુસ્તકશ્રેણી શરૂ કરી. આ શ્રેણીનું નવું પુસ્તક ‘રવીન્દ્ર પ્રસંગ’.
કોમિલા, બાંગ્લાદેશમાં જન્મેલા બુદ્ધદેવ બસુ (૧૯૦૮-૧૯૭૪), બંગાળના ૨૦મી સદીના રવીન્દ્રનાથ પછીના અગ્રગણ્ય કવિ.બુદ્ધદેવનો જ્યારે સાહિત્ય જગતમાં પ્રવેશ થયો ત્યારે રવીન્દ્રનાથ બંગાળના સાહિત્ય જગત ઉપર જ નહીં.
મહાભારતના સુપ્રસિદ્ધ પ્રસંગો પર આધારિત આ ત્રણ રચના દ્વારા રવીન્દ્રનાથ તેમની આગવી કાવ્યમય અને નાટ્યાત્મક શૈલીમાં પોતાનું ધર્મદર્શન સહજ અને સરળ રીતે પ્રસ્તુત કરતાં નિત્યધર્મનો મહિમા પ્રસ્થાપિત કરે છે.
આ પુસ્તકમાં લેખક રવીન્દ્રનાથના અંગ્રેજીમાં અનૂદિત પુસ્તકો, કાવ્યો અને અન્ય સાહિત્યપ્રકારોનો ગુજરાતીમાં અનુવાદ તેના અર્થઘટન સાથે મૂકવામાં આવ્યો છે. રવીન્દ્ર અનુરાગી તેમજ સુજ્ઞ વાચકોને રવીન્દ્ર સાહિત્યને માણવાની એક નવી અને અલગ દૃષ્ટિ ખોલી આપે છે.
રાજેન્દ્ર પટેલ
રવીન્દ્રનાથના સાહિત્યના વાંચન પછી રાજેન્દ્ર પટેલ કવિવર સાથે નાભિનાળથી જોડાઈ જાય છે. રાજેન્દ્ર પટેલ લખે છે; માનસસુંદરી, જીવનદેવતા, વિશ્વદેવતા અને અંતે વિશ્વપુરુષમાં વિસ્તરતી રવીન્દ્રનાથની કવિદૃષ્ટિની અનેરી ભાત મારા ચિત્તમાં પડી.
₹160.00
રવીન્દ્રનાથ 1916માં જપાન થઈને અમેરિકાના બીજી વારના પ્રવાસે ગયા ત્યારે તેમણે આપેલાં કેટલાંક વ્યાખ્યાનો ‘Personality’ શીર્ષકથી 1916માં ગ્રંથરૂપે પ્રગટ થયેલાં. તેમની દૃષ્ટિએ કલાનો મુખ્ય હેતુ વ્યક્તિત્વની અભિવ્યક્તિ છે.
બંગાળી સાહિત્યનું સન્માનનીય નામ એટલે શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય. ‘દેવદાસ’, ‘પરિણીતા’ જેવી અમરકથાઓના સર્જકની આ કૃતિઓ પરથી ફિલ્મો પણ બની છે. એક ઉત્તમ કોટિના વાર્તાકાર હોવાની સાથે સાથે શરદચંદ્ર ખૂબ સારા કથાકાર પણ હતા.
‘પરમ તત્ત્વ’ સાથેની ઐક્યપ્રાપ્તિને ઉપલબ્ધ કરવાની ‘સાધના’ કવિ રવીન્દ્રનાથ તેમ વિશિષ્ટ શૈલીમાં ઉદ્ઘાટિત કરે છે. આધુનિક સમયનું અનુસંધાન કરીને ભારતની પ્રાચીન ભાવનાનું (spirit) વ્યાપકપણે વિશ્લેષણ કર્યું છે.
મહેશ માંજાવાલા
તમે ક્યારેય એવી વસ્તુ કે બાબતમાં સારા એવાં સમયનું રોકાણ કર્યું છે, જેમાં પાછું વળીને જોતાં બહુ જ વ્યર્થમાં ગયું એવું અનુભવાય છે? કોઈ ઓક્શનમાં વધારે પડતો ભાવ ભરી દીધો છે?
₹475.00