Niranjan Bhagat
ગુજરાતી ભાષાના સારસ્વત નિરંજન ભગત અંગ્રેજી ભાષાના કવિ ટી.એસ.એલિયટ અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરને વાંચવાની શરૂઆત કરે છે. ગૂઢ સાંકેતિક શૈલીમાં લખાયેલી એલિયટની કવિતાઓ પ્રથમ પ્રયાસે સમજવામાં અઘરી લાગતા ભગતસાહેબ એમના વિવેચકોને વાંચે છે.
₹600.00
ચન્દ્રકાન્ત ટોપીવાળા
સાહિત્યનાં વિવિધ પાસાંને સમજવા વિવેચનનો આધાર મહત્ત્વપૂર્ણ બની જાય છે. ‘અંતરાલ’માં વિવેચનની સમજ આપતા લેખોની સાથે ગુજરાતી સાહિત્યનાં તાજેતરમાં પ્રગટ થયેલાં પુસ્તકોની સમીક્ષા પણ સામેલ છે. સમય, ભાષા, રચના, જગત, સર્જક અને વાચક.
₹175.00
બાબુ સુથાર
આર્જેન્ટીનાનાં લેખક એરિયલ ડોર્ફમેનની નવલકથા “The Rabbit’s Rebellion” સરમુખત્યારોને ઉઘાડા પાડતી કથા છે. પોલીશ લેખક જાનુસ્ઝ કોરાઝાકેની નવલકથા “King Matt The First”માં એવી કલ્પના છે કે એક બાળક રાજા બને તો શું થાય?
₹275.00
વીનેશ અંતાણી
પુસ્તકસમીક્ષા કે વિવેચન મારી સર્જનપ્રવૃત્તિમાં નગણ્ય સ્થાન ધરાવે છે. વિવેચન વાંચવું ગમે, પરંતુ એ લખવામાં રુચિ નહીં. એથી મેં એ દિશામાં સભાનતાપૂર્વક કામ કર્યું નથી. પુસ્તક વાંચવા લઉં ત્યારે મુગ્ધ ભાવકની જેમ એનો આનંદ માણું.
₹325.00
યોગેશ જોષી
કવિવર ઉમાશંકર જોશી એ નોંધ્યું છે કે ‘કાવ્ય જીવે છે આસ્વાદમાં’. આસ્વાદ થકી કૃતિ લોકહૃદય સુધી પહોંચે છે. આ વિધાન કવિ યોગેશ જોશીને આપણી ભાષાના ઉત્તમ કવિઓ અને કૃતિઓનો રસપાન કરાવતા લેખો લખવા પ્રેરે છે.
₹225.00
સતીશચંદ્ર વ્યાસ ‘શબ્દ’
ભાષાઓની જનની એવી સંસ્કૃત ભાષાના શિરમોર સર્જક મહાકવિ કાલિદાસ, જેમનાં કાવ્યો અને નાટકોએ સાહિત્યરસિકો ઉપર અમીટ છાપ છોડી અને સદીઓ પર્યંત વાચકોને આકર્ષિત કર્યા. કાલિદાસનાં શરૂઆતનાં સર્જનોમાંનું એક ગીતિકાવ્ય - ‘ઋતુસંહાર’.
₹350.00
કિશોર વ્યાસ
વિવિધ સાહિત્યકારો દ્વારા લખાયેલ સમીક્ષા અને વિભાવના વિષયક લેખો અને તેમનાં વચ્ચે થયેલ પત્રવ્યવહાર દ્વારા ગુજરાતી સાહિત્યની સુદીર્ઘ યાત્રા કરવાનો અવસર મળે છે સાથે મહાન સર્જકોના સાહિત્યમંથનનો નિચોડ વાચક સુધી પહોંચાડે છે આ પુસ્તક.
અનિલા દલાલ
રવીન્દ્રનાથનાં સર્જનોમાં પ્રકટ થતું તેમનું દર્શન તેમને વિશ્વનાં સંસ્કારપુરુષોની સાથે સ્થાન આપે છે. તેમની સર્જકપ્રતિભા સાહિત્ય, સંગીત, કલા, ચિત્ર જેવાં અનેક ક્ષેત્રોમાં પરિસ્ફુટ થયેલી છે.
રાજેન્દ્ર પટેલ
રાજેન્દ્ર પટેલનાં વાચન-મનનના પરિશીલનના પરિપાકરૂપે આ પુસ્તકમાં લેખો રજૂ થયા છે. જેમાં ગુજરાતી ભાષાના મહત્ત્વના કવિઓ રાજેન્દ્ર શાહ, ઉમાશંકર જોશી, ઉશનસ્, ચિનુ મોદી, નિરંજન ભગતના સર્જન પછવાડેનાં વિશિષ્ટ પરિમાણો તારવ્યાં છે.
₹150.00
સુજ્ઞશ્રી અનિલા દલાલે ગુજરાતી સાહિત્ય પરિષદના વિવેચન, સંપાદન, સંશોધન વિભાગનું અધ્યક્ષસ્થાન શોભાવ્યું છે. એ દરમિયાન તેમણે અનેક વિવેચનલેખો અને અભ્યાસલેખો આપ્યા છે.
₹250.00
શ્રી ટોપીવાળાસાહેબનું વિવેચન વિવિધ સૂરોમાં પ્રગટેલ છે. ‘પહોંચનામા’માં એ બધા સૂરો વિસતર્યા છે. ‘પ્રથમ સૂર’માં સાહિત્યની સર્વસામાન્ય વિગતોનો સ્પર્શ છે. ‘મધ્યસૂર’માં મારી મધ્યકાલીન ચેતના અંગે મથામણ છે.
₹450.00
‘જો સાહિત્યપદાર્થને ઉત્તમ રીતે વાચક સુધી પહોંચાડવું હોય તો નીવડેલી રચનાઓના રસપ્રદ શૈલીમાં આસ્વાદ કરાવવા જોઈએ.’ એમ માનનારા કવિ-વિવેચક રાજેન્દ્ર પટેલના આ પુસ્તકમાં સાહિત્યના ચાર પ્રકારોના આસ્વાદલક્ષી લેખોનો સમાવેશ થયો છે.
₹140.00
રમણ સોની
૧૨મીથી ૧૯મી સદી સુધીના સમયગાળામાં રચાયેલું સાહિત્ય પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કહેવાયું.આ પુસ્તકના માધ્યમથી સંપાદક અને વિવેચક શ્રી રમણભાઈ સોની આ ૭૦૦ વર્ષ દરમિયાન રચાયેલા ઉત્તમ સાહિત્યના ઐશ્વર્યને આપણા સુધી પહોંચાડે છે.
પ્રવીણ કુકડિયા
એકવીસમી સદીની પહેલી પચીસીએ પહોંચવા આવ્યા છીએ ત્યારે ગુજરાતી વિવેચન અને સંશોધનમાં કટોકટીભરી પરિસ્થિતિ ઊભી થઈ છે. આ અતિશયોક્તિ લાગશે પણ અરધાથી પણ વધારે ગુજરાતી અધ્યાપકોને વ્યાકરણની દૃષ્ટિએ સાચું ગુજરાતી લખતા આવડતું નથી.
લેખકમાત્ર, એ સર્જક હોય કે વિવેચક, પોતાની કૃતિ માટે તરત પ્રતિભાવ ઇચ્છે છે. એ પ્રતિભાવ નર્યો ઉદ્દગાર હોય તો એનું આયુષ્ય ઝાકળના ચળકતા બિંદુ જેટલું હોય છે.
₹375.00
મનોહર ત્રિવેદી
મારાં સર્જનની જે ઓળખ ઊભી થઈ છે તે અનુઆધુ નિકતાના ગાળામાં. લખવાનું, સામયિકોમાં મુદ્રિત થવાનું તો છેક મારી ચૌદ-સોળની વયે આરંભાયું. તે સમયે સાહિત્યનાં વિવિધ પાસાંઓની પરખ ન હોય તે સ્વાભાવિક છે.
₹200.00
સુમન શાહ
મધ્યકાલીન યુગથી માંડીને વર્તમાન સમય સુધીના સાત મહત્ત્વના કવિઓની કાવ્યસૃષ્ટિનો સમીક્ષાત્મક ગુણાનુવાદ આ ગ્રન્થમાં પ્રસ્તુત છે. કાવ્યવસ્તુ, પ્રકાર, માધ્યમ, બાની જેવાં પરિમાણોને આધારે કરવામાં આવેલી આ સમીક્ષાઓ કવિના સર્જન પ્રમાણી અને માણી શકાય છે.
₹500.00