ચન્દ્રકાન્ત બક્ષી
જાણીતા તસવીરકાર અને સંપાદક સંજય વૈદ્ય દ્વારા સંપાદિત અને લોકચાહના પામેલી ઈ-સિરીઝનું આ પુસ્તક ચંદ્રકાંત બક્ષીના ઈગોનો જાણે ઑલ્ટર ઈગો છે. પાલનપુરમાં જન્મી કોલકાતામાં રહી ગુજરાતી સાહિત્ય વિપુલ સર્જન કરનાર બક્ષીબાબુનું સાહિત્ય એટલે સત્યનો આયનો.
₹350.00
ચન્દ્રકાન્ત શેઠ
ઉમાશંકર જોશી... ગુજરાતી ભાષાના શિરમોર સાહિત્યકાર જેમણે પોતાની છ દાયકાની સર્જનસાધના દરમ્યાન ગુજરાતી સાહિત્યને મૂલ્યવાન સાહિત્યવારસો આપ્યો છે. આ પ્રશિષ્ટ સાહિત્યકારની કાવ્ય ઉપલબ્ધિઓ અને સાહિત્યક વલણો કવિ ચંદ્રકાન્ત શેઠને નિરીક્ષણ અર્થે પ્રેરે છે.
₹1,750.00
સંજય વૈદ્ય
સુપ્રસિદ્ધ તસવીરકાર સંજય વૈદ્ય દ્વારા સંપાદિત લોકપ્રિય કવયિત્રી પન્ના નાયકનાં ચુનંદાં સર્જનો રજૂ કરતું પુસ્તક ‘એમરલ્ડ’. દરેક કૃતિ સાથે દૃશ્યમાન પન્નાબહેનની લાક્ષણિક મુદ્રામાં લેવાયેલી તસવીર આ પુસ્તકને કલેક્ટર્સ એડિશન બનાવે છે.
ફાધર વાલેસ
સંજય વૈદ્ય દ્વારા સંપાદિત આ પુસ્તકમાં છે ફાધર વાલેસના ચુનંદ નિબંધો સાથે સંજયભાઈ દ્વારા કૅપ્ચર કરાયેલી ફાધર વાલેસની અદ્ભુત ક્ષણો. સંજય વૈદ્ય દ્વારા સંપાદિત અને લોકચાહના પામેલી ઈ-સિરીઝનું આ પુસ્તક વાલેસના વ્યક્તિત્વના એલિગન્સને રજૂ કરે છે.
કાજલ ઓઝા વૈદ્ય
સ્ત્રી ઈશ્વરનું સુંદરતમ સર્જન છે અને સંબંધ એ સ્ત્રીનું ઉત્તમ સર્જન છે! સીતાથી શરૂ કરીને સની લિઓની સુધી... રઝિયા સુલતાનથી શરૂ કરીને રેખા સુધી...ગંગાસતીથી શરૂ કરીને ગાયત્રીદેવી સુધી... દરેક સ્ત્રી સ્વભાવ, પ્રકૃતિ, શરીર અને સંવેદનાથી ભિન્ન છે.
₹850.00
રાજુ દવે
વિવિધ કલાનાં ક્ષેત્રો અને જાહેર જીવનને સમર્પિત ૧૧ વિલક્ષણ પ્રતિભાઓનું પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે અને જેમની જીવનયાત્રા પ્રેરણાદાયી રહી છે, તેઓની સાથે રાજુભાઈ વિસ્તૃત મુલાકાત કરે છે, અથવા કહો કે ગોઠડી માંડે છે.
₹275.00
રાજેન્દ્ર પટેલ
ગુજરાતી સાહિત્યના એક વિલક્ષણ મહત્ત્વના કવિ અને વિવેચક ચન્દ્રકાન્ત ટોપીવાળાના સમગ્ર સાહિત્યના અનુસંધાનમાં ‘આલોચનાત્મક નોંધો’ (Critical notes) દર્શાવતો અને બહુપારિમાણિક તોમજ બહુસ્તરીય સાહિત્યિક સંદર્ભો ધરાવતો આ વિશિષ્ટ ગ્રંથ છે.
₹750.00
કેસર મકવાણા
સાવરકુંડલાના કાઠી સપૂત અને સાહિત્ય ક્ષેત્રે અનોખું યોગદાન આપનારા નાનાભાઈ જેબલિયા ‘કાઠી કલમ’ના ઉપનામથી જાણીતા છે. પદ્ય સિવાય લગભગ બધા જ સાહિત્યપ્રકારોમાં ખેડાણ કરનાર નાનાભાઈએ વિવિધ સાહિત્ય કૃતિઓનું વિપુલ સર્જન કર્યું છે.
ડંકેશ ઓઝા
આપણે ત્યાં ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે અને આદર્શ અધ્યાપકો શોધવા પડે તેમ છે. એવે સમયે વિદ્યાર્થીપ્રિય અને વિદ્યાપ્રીતિ ધરાવતો અધ્યાપક કેવો હોય, જ્ઞાનની ઝંખના કેવી હોય, એ વહેંચવા માટે એ કેવો તલપાપડ હોય એવા અધ્યાપક એટલે નિરંજન ભગત.
₹300.00
તુષાર વ્યાસ
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત. જેનાં પાયામાં તેના ન્યાયતંત્રની પણ વિશિષ્ટ ભૂમિકા રહી છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ભારતીય ન્યાયતંત્ર અને તેના સ્વરૂપમાં સમયાંતરે ફેરફારો આવતા ગયા છે અને ન્યાયની પ્રક્રિયા વધુ સુગમ બનતી આવી છે.
પરષોત્તમ રાઠોડ
ઉર્દૂ અદબના મહાન શાયર મિર્ઝા ગાલિબ, જેમની શાયરીથી આપણે સૌ પરિચિત છીએ, પરંતુ તેમના જીવન વિશે અન્ય ભાષાઓની સરખામણીમાં આપણી ભાષામાં ખૂબ ઓછું લખાયું છે.
₹200.00
સંપાદક : મકરંદ મહેતા
પ્રો. ભીખુ પારેખ એક વૈશ્વિક પ્રતિભા... એક રાજકીય અને સામાજિક તત્વચિંતક... જેમના લેખો અને વ્યાખ્યાનોનો પ્રભાવ સમગ્ર વિશ્વ પર પડ્યો છે. વિવિધ સંસ્કૃતિઓ અને રાજકીય પરિપ્રેક્ષ્યના તુલનાત્મક અભ્યાસ બાદ ભીખુભાઈની ફિલોસોફીએ બહુસંસ્કૃતિવાદના વિચારને જન્મ
₹500.00
રૂપા મહેતા (ડૉ.)
જાજરમાન વ્યક્તિત્વ, રેડિયો પ્રસારણ ક્ષેત્રના કર્તૃત્વ અને સ્વાનંદી જીવનને કારણે વસુબહેન એક જમાનામાં સેલિબ્રિટી હતાં.સાઠના દાયકાથી પોતાના નામની આગળ પાછળ કશું જ નહીં લગાવવાનો તેમનો ક્રાન્તિકારી નિર્ણય તેમના સ્વતંત્ર વ્યક્તિત્વનું સ્ટેટમેન્ટ હતું.
રજનીકુમાર પંડ્યા
આપણી ભાષાના અગ્રગણ્ય નવલકથાકાર, વાર્તાકાર અને સત્વશીલ કટારોના લેખક શ્રી રજનીકુમાર પંડ્યા લગભગ ત્રણેક વર્ષના ગાળા પછી એક નવું અને યાદગાર પુસ્તક લઇને આવ્યા છે. ૩૮ જેટલાં ખ્યાતનામ ગુજરાતી સાહિત્યકારોનાં જીવનચિત્રો અને તેમની સાથેનાં પોતાનાં સંસ્મરણોનું
₹525.00
નંદિની ત્રિવેદી
નરસિંહનાં પ્રભાતિયાંથી લઈને મીરાંનાં ભજનો સુધી, મેઘાણીનાં શૌર્યગીતોથી લઈને પાનબાઈનાં ભક્તિગીતો સુધી, કૃષ્ણગીતો હોય કે વર્ષાગીતો, ગઝલ, નજમ કે ફિલ્મીગીતો, રાસગરબા કે લગ્નગીતો ગુજરાતી ગીતસંગીતનું ફલક અસંખ્ય સુમધુર ગીતોના મેઘધનુષી રંગોથી હર્યુંભર્યું છે.
₹775.00