કાનજી પટેલ
આદિવાસીઓ અને વિમુક્ત, વિચરતી જનજાતિઓના અંધકારભર્યા જીવન અને તેમની પીડાને વાર્તાઓના સ્વરૂપે આપણી સમક્ષ મૂકાઈ રહ્યા છે વાર્તાસંગ્રહ ‘ડેરો’ દ્વારા.
₹325.00
રાજેશ વાઘેલા
સોશિયલ મીડિયા પર રીલ જોવા જેટલા સમયમાં એક સુંદર વાર્તા વાંચવા મળે તો? ખૂબ જ ઓછા શબ્દોમાં લખાતી અને ટૂંકી વાર્તાની તુલનામાં નાના કદની વાર્તાઓને લઘુકથા તરીકે ઓળખવામાં આવે છે.ઓછામાં વધુ કહી જતી ગાગરમાં સાગર સમી આ લઘુકથાઓ નવી અભિવ્યક્તિનો પરિચય કરાવશે.
₹175.00
મધુ રાય
અસંખ્ય ગુજરાતી વાચકોના લોકપ્રિય સર્જક મધુ રાયની તમામ વાર્તાઓ હવે એકસાથે માણવાનો અવસર એટલે તેમના બે ભાગમાં પ્રસ્તુત થતા વાર્તાસંગ્રહો– ‘એક હતો રાજા’ અને ‘એની માનીતી રાણી’.
₹525.00
₹650.00
રેણુકા દવે
મોટા ભાગે પારિવારિક સંબંધો અને સમાજજીવનને અનુલક્ષીને લખાયેલી આ વાર્તા ભલે બહોળું વિષયવૈવિધ્ય ન ધરાવતી હોય, પરંતુ ભાવવૈવિધ્ય ચોક્કસ ધરાવે છે.સંવેદનાઓના વિવિધ રંગોથી રંગાયેલો આ વાર્તાસંગ્રહ ગુજરાતી વાર્તાવિશ્વમાં એક નવો પડઘો પાડશે.
₹300.00
પ્રવીણસિંહ ચાવડા
પ્રવીણસિંહ ચાવડાએ લેખનની શરૂઆત ખૂબ નાની વયે, છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે કરી હતી. ‘કથાસાગર’માં ૨૨૧ પ્રકાશિત વાર્તાઓ એકસાથે પ્રગટ થાય છે. આ પુસ્તકમાં તેમની વર્ષ ૧૯૯૮ થી ૨૦૨૪ સુધી પ્રકાશિત વાર્તાઓ ગ્રંથસ્થ કરેલ છે.
₹2,600.00
પ્રવીણસિંહ ચાવડાએ લેખનની શરૂઆત ખૂબ નાની વયે, છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે કરી હતી. ‘કથાસાગર’માં એમની ૨૨૧ પ્રકાશિત વાર્તાઓ એકસાથે પ્રગટ થાય છે. આ પુસ્તકમાં તેમની વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૪ સુધી પ્રકાશિત વાર્તાઓ ગ્રંથસ્થ કરેલ છે.
₹600.00
પ્રવીણસિંહ ચાવડાએ લેખનની શરૂઆત ખૂબ નાની વયે, છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે કરી હતી. ‘કથાસાગર’માં એમની ૨૨૧ પ્રકાશિત વાર્તાઓ એકસાથે પ્રગટ થાય છે. આ પુસ્તકમાં તેમની વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૬ સુધી પ્રકાશિત વાર્તાઓ ગ્રંથસ્થ કરેલ છે.
₹700.00
પ્રવીણસિંહ ચાવડાએ લેખનની શરૂઆત ખૂબ નાની વયે, છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે કરી હતી. ‘કથાસાગર’માં એમની ૨૨૧ પ્રકાશિત વાર્તાઓ એકસાથે પ્રગટ થાય છે. આ પુસ્તકમાં તેમની વર્ષ ૨૦૦૨ થી ૨૦૦૫ સુધી પ્રકાશિત વાર્તાઓ ગ્રંથસ્થ કરેલ છે.
પ્રવીણસિંહ ચાવડાએ લેખનની શરૂઆત ખૂબ નાની વયે, છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે કરી હતી.‘કથાસાગર’માં એમની ૨૨૧ પ્રકાશિત વાર્તાઓ એકસાથે પ્રગટ થાય છે. આ પુસ્તકમાં તેમની વર્ષ ૧૯૯૮ થી ૨૦૦૧ સુધી પ્રકાશિત વાર્તાઓ ગ્રંથસ્થ કરેલ છે.
હસમુખ કે. રાવલ
કહેવાય છે કે સમાજનો આયનો એટલે વાર્તા. પરંતુ હસમુખભાઈ રાવલની વાર્તાઓમાં સમાજમાં બનતી ઘટનાઓ અને પ્રસંગોની સાથે મનુષ્યના અંતરમનમાં ચાલતા ભાવવિશ્વનું પ્રતિબિંબ ઝિલાતું જોવા મળે છે. આંતર-બાહ્ય જગતમાં ડોકિયું કરાવતી આ વાર્તાઓ દરેક વાચકને સ્પર્શી જશે.
₹275.00
શ્રદ્ધા ભટ્ટ
સંબંધોના મહાસાગરમાં જીવતા મનુષ્યના મનોજગતમાં ભાવોની અનેક ભરતી અને ઓટ આવતી હોય છે. આવા જ અકથ્ય ભાવોની ભરતી અને ઓટને શ્રદ્ધાબહેને ટૂંકી વાર્તાનું સ્વરૂપ આપ્યું છે. વાર્તાનાં પાત્રો ખૂબ સામાન્ય છે જે આપણી આસપાસ જ જીવતાં હોય છે.
જિગીષા પાઠક
બદલાતા સમયની સાથે માણસનું સંવેદનવિશ્વ પણ બદલાતું રહ્યું છે. વ્યાવહારિક રીતે સમાજની વચ્ચે રહેતો માણસ ભીતરથી એકલો જણાય છે. માણસની ભીતર ચાલતાં આવાં જ અકથ્ય સંવેદનોને વાર્તાનું સ્વરૂપ આપ્યું છે જિગીષાબહેને.
₹200.00
દરેક પળે નવું જાણવા મથતા બાળકના મનોવિશ્વમાં લટાર મારી ઊગતી ઉંમરના ભાવો પ્રગટ કરતી આ વાર્તાઓ ચોટદાર છતાં સંવેદનશીલ છે. કલ્પનાઓ, બાળહઠ, લાગણીઓ, કુતૂહલ અને વિસ્મય જેવા અનેક રંગોને પોતાની પાંખોમાં સમાવી લેતી આ વાર્તાઓ બાળકોને તિતલીલૅન્ડમાં જરૂર લઈ જશે.
દીવાન ઠાકોર
જિવાતા જીવનમાં બનતી વિવિધ ઘટનાઓ મનની સપાટી પર અથડાયા કરતી હોય છે. આ ઘટનાઓથી ઉદ્ભવતાં સંવેદનો શબ્દનું રૂપ ધરી વાર્તા બની જાય છે. વાર્તાકાર દીવાનભાઈ ઠાકોર પણ આવી ઘટનાઓ સાથે સ્વને જોડીને વાર્તાસર્જન કરતા આવ્યા છે.
₹250.00
યામિની પટેલ
સમાજની ગુનાહિત ગલીઓમાં જઈ શબ્દનો દીવો કરનાર સાહિત્યપ્રકાર એટલે રહસ્યકથાઓ. ગુજરાતીમાં રહસ્યકથાઓના મૌલિક સર્જનની તુલનામાં વિદેશી રહસ્યકથાઓ અથવા તો ડિટેક્ટિવ વાર્તાઓનો અનુવાદ દાયકાઓથી થતો આવ્યો છે.
આપણી ભાષાના લોકપ્રિય સર્જક મધુ રાય. અમેરિકાની આબોહવામાં શ્વાસ લેતાં લેતાં નજર કરે છે વિશ્વના ખૂણે ખૂણે સતત બદલાતા જતા માનવજીવન પર અનુભવે છે સાંપ્રત સંવેદનોને અને પરખે છે નવું રૂપ ધરતા સંબંધોનાં સમીકરણોને.
₹375.00
જિજ્ઞા પટેલ
વાર્તા સમાજનું દર્પણ છે. સારો કે વરવો, સમાજનો વાસ્તવિક ચહેરો વાર્તારૂપી દર્પણમાં પ્રતિબિંબિત થાય છે. સદીઓથી આપણો સમાજ રૂઢિગત પરંપરાઓ અને રીતિરિવાજોની બેડીમાં બંધાયેલો રહ્યો છે.
રાજેન્દ્ર પટેલ
આપણા જીવનમાં એવા પ્રસંગો બનતા હોય છે જે આપણને અંદરથી હચમચાવી મૂકે. આવા પ્રસંગો પર આપણે તો સહજ આંસુ સારી દઈએ, પરંતુ વાર્તાકાર રાજેન્દ્ર પટેલ માટે તે વાર્તાનો વિષય બને છે.કોઈ ઠોસ અનુભવથી જાગી ગયેલાં સંવેદનો રાજેન્દ્રભાઈને લખવા માટે વિવશ કરી મૂકે છે.
₹500.00
શિરીષ પંચાલ
માનવીના જીવનમાં આવતી કેટલીક મુશ્કેલ પરિસ્થિતિઓ તેને અજવાસમાંથી અંધકારમાં ધકેલી દેતી હોય છે. આ અંધકારમાંથી પાછા અજવાસ તરફ જવા મથતો માનવજીવ બની જાય છે તમસલોકનો યાત્રી.
બાદલ પંચાલ
મહાનગર મુંબઈ. સવાર સાંજ દોડતી લોકલ. ટ્રાફિક જામમાં અટકતા વાહનો. ખદબદતી ઝૂંપડપટ્ટીઓ અને કશુંક પામવા દોડી રહેલું માનવ મહેરામણ. આ રોજિંદી ઘટમાળ વચ્ચે જીવન જાણે યંત્રવત્ બની ગયું છે.
સમીરા દેખૈયા પાત્રાવાલા
લેખિકા સમીરા દેખૈયા પત્રાવાલા વિચારબીજથી લઈને વાર્તા લખવા સુધીની સફર ખેડી સત્તર ચોટદાર વાર્તાઓનું સર્જન કરે છે.આ વાર્તાઓ ભાવકો સુધી પહોંચવા માટે સ્વરૂપ લે છે એક પુસ્તકનું જેનું શીર્ષક છે ‘ફકીરની પાળ’.આ તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ છે.
₹225.00
રજનીકુમાર પંડ્યા
ત્રીસી વટાવી ચૂકેલો યુવાન મોહિત લગ્ન માટે કન્યાઓ જોતાં-જોતાં અનાયાસે જ પોતાના મિત્ર સુરેશની દીદીને જોઈ બોલી ઊઠે છે, અહા, કેટલી સુંદર! અને સર્જાય છે સુંદર પ્રેમકથા. ઘાસલેટની એજન્સીના માલિકનો દીકરો મોહન ઊતરતી કોમની સુધીના પ્રેમમાં પડે છે.
વીનેશ અંતાણી
હોઈ શકે છતાં ન પણ હોય એવો હરકાન્ત; અંદરથી સબડતા રહેવાની ઋતુમાં બે ફાડિયાં થઈ જતી માધવી; ઘરના હીંચકાઓની વચ્ચે નિજનો હીંચકો ખોઈ બેઠેલી કાન્તા; પોતાના ઘરમાં ભૂતકાળનો એક ટુકડો રંગવા આવેલો ક્રિસ્ટોફર.
કાજલ ઓઝા વૈદ્ય
આ કથાઓનું ફોર્મેટ આમ તો 'ટૂંકી વાર્તા'નું છે, પણ કેટલીક વાર્તાઓ લાંબી છે. જીવનના પ્રવાસમાં કેટલાંક વળાંકે મળી ગયેલા, થોડાં ડગલાં સાથે ચાલેલા અને પછી કોઈક વળાંકે છૂટા પડી ગયેલા અનેક પાત્રો આ વાર્તાઓમાં ચહેરા બનીને ઉપસ્યા છે.
મૌલિન શાહ (ડૉ.)
પીડિયાટ્રિક ઑર્થોપેડિક સર્જન ડૉ. મૌલીન શાહ દર્દથી પીડાતાં બાળકોના જીવનમાં ગતિ, ઉલ્લાસ, આશા અને નર્તન ભરે છે સાથે તેમની સારવાર દરમિયાન આવેલી અડચણો અને મુશ્કેલ સંજોગોમાંથી માનવતાસભર અભિગમ ધરાવતા સંવેદનશીલ પ્રસંગોનું વાર્તાસ્વરૂપે નિરૂપણ કરે છે.
રોજ-બરોજના જીવનમાં આપણે અનેક નાની-મોટી ઘટનાઓના સાક્ષી બનીએ છીએ અનેકવિધ પાત્રોના સંપર્કમાં પણ આવીએ છીએ. એ ઘટનાઓ અને પાત્રોનો સપાટી પરનો રંગ જુદો છે અંદરના પ્રવાહોની રંગછટા જુદી છે એ રંગછટાઓને જાણવાનો આ રીતે શબ્દો દ્વારા સપાટી પર લાવવાનો આ પ્રયાસ છે.
રૂબી જાગૃત
40 ટૂંકી વાર્તાઓનો આ સંગ્રહ જેમ રંગો કૅન્વાસ પર પ્રસરી જાય, ફેલાઈ જાય અને કોઈ આકાર રચાય તેવા સહજભાવે આ વાર્તાઓ રચાઈ છે. તેમાં ક્યારેક અવનવા સ્નેહનાં સ્પંદનો તો ક્યારેક ક્રૂરતા અને સ્વાર્થની પરાકાષ્ઠાએ સ્થાન લીધું છે.
ધીરુબહેન પટેલ
વાર્તાસંપુટમાં ધીરુબેન પટેલની 151 ટૂંકી વાર્તાઓ સમાવિષ્ટ થઈ છે. આ દળદાર ગ્રંથ તમારા બુકશૅલ્ફનું સૌથી વધુ વાંચન આપતું પુસ્તક ન બને તો જ નવાઈ!
₹1,250.00
Compilations of Stories
66 નવોદિત અને નીવડેલી લેખિકાઓનો વાર્તાસંગ્રહ : પુસ્તકની આ ટેગ-લાઇન ગર્વ અનુભવાય એવી છે. આ સંગ્રહની વાર્તા-લેખિકાઓ એમની લેખિની વાર્તાસ્પર્ધામાં નીવડેલી સાબિત થઈ છે. મે 2018માં બહેનો માટે વાર્તાલેખન સ્પર્ધા યોજાઈ હતી, તેમાં 80થી વધુ વાર્તા મળેલી.
₹450.00
પાણીનું ટીપું ગોળ જ શા માટે હોવું જોઈએ? તેને ચોરસ આકાર ધારણ કરવાની છૂટ મળે તો? ધીરુબહેન પટેલે આ પુસ્તકમાં આ પ્રકારની શક્યતાઓને તાગવાની કોશિશ કરી છે.
ધીરુબહેન પટેલના ગદ્યનો નિખાર માણવો હોય તો આ પુસ્તકમાં સંગ્રહાયેલી એમની 36 નવલિકાઓમાંથી પસાર થવું પડે. ‘વિનીનું ઘર’ એક સ્ત્રીની વાત છે, જે સમાજની દૃષ્ટિએ સંભવતઃ ચારિત્ર્યહીન છે.