હેમંત પૂણેકર
આજકાલ ગઝલો વિપુલ પ્રમાણમાં લખાય છે. એકંદરે છંદોબદ્ધ રચના લખનારાઓનું પ્રમાણ પણ ખૂબ વધ્યું છે. ‘કાગળની નાવ’ લઈને ગઝલની વૈતરણી પાર કરવા નીકળેલા કવિ ચોક્કસ ગઝલને ભાળી ગયા છે. તે ગઝલના શાસ્ત્રના અભ્યાસુ છે અને ગઝલની નાડ નજાકતથી પકડે છે. કાગળની નાવની ગઝલ વિશે વાત કરીએ તો એની મુખ્ય ખાસિયતો બે. પહેલી– એનું છંદોનું ખેડાણ. અને બીજી કવિએ પ્રયોજેલા કાફિયા.