રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
‘મારે મન ગઝલ એ મારી જાત સાથેનો સંવાદ છે’ કે પછી, ‘મારી ગઝલ એ આ દુનિયા સાથે, ઈશ્વર સાથે, પ્રિય પાત્ર સાથે કરેલી વાતચીત છે’ એવું રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ શા માટે કહે છે એ તેમના આ આઠમાં ગઝલસંગ્રહમાંથી પસાર થતી વખતે ભાવકને નવેસરથી સમજાય છે. ‘એ સમથિંગ છે...’ની ગઝલોનું આંતરિક વિશ્વ, હંમેશ મુજબ, ભાવકના દિલને સીધું સ્પર્શે છે અને એના દિમાગમાં વિચારોના તણખા પ્રગટાવે છે. કવિ કહે છે તેમ પ્રત્યેક ગઝલ પોતાનું ભાગ્ય લઈને તો આવે જ છે, સાથે સાથે પોતાનું આયુષ્ય પણ લખાવીને આવે છે. આ સંગ્રહની ગઝલોની આયુષ્યરેખા ખૂબ લાંબી છે એ તો નક્કી.