ભાવેશ ભટ્ટ
ક્યારેક ભરવસંતે તો ક્યારેક પાનખરમાં સમયની ડાળ પરથી દરેકે તૂટવાનું તો છે જ ત્યારે કવિ ભાવેશ ભટ્ટ તૂટવાની પણ એક સુંદર રીત બતાવતાં કહે છે, કોઈ સ્થિતિ બચાવશે ક્યાંથી બળ નહી તો જતનથી તૂટીએ સાંપ્રત જીવનની આવી જ વાસ્તવિકતાઓનું ચિંતન કરી લયબદ્ધ રીતે અભિવ્યક્ત કરતા ગઝલકાર ભાવેશ ભટ્ટ પોતાના તરોતાજા ગઝલસંગ્રહ ‘જતનથી તૂટીએ’ દ્વારા આપણને લઈ જાય છે એક નવા ભાવવિશ્વમાં.