રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો પ્રત્યેક ગઝલસંગ્રહ એમના ચાહકો માટે એક ઉત્સવ સમાન હોવાનો. આ પુસ્તકમાં એમની 103 ગઝલો સમાવી લેવામાં આવી છે. કવિ પ્રસ્તાવનામાં કહે છે કે ગઝલ ક્યારેક તેમને આખી રાત જાગતા રાખે છે. જિવાતા જીવનનાં નિરીક્ષણો તેમ જ વહેતા જતા સમયના પ્રવાહમાંથી ઊપસતાં સત્યો આ કૃતિઓમાં આબાદ ઝિલાયાં છે. આ સત્યો વ્યક્તિગત ન રહી જતાં, સાર્વત્રિક બની જાય છે, જે ‘મિસ્કીન’ની ગઝલોનું સૌથી સુંદર પાસું છે.