શુચિતા દિવેટિયા મહેતા
શ્રીરૂપગોસ્વામી દ્વારા સંકલિત શ્રીભક્તિરસામૃતસિન્ધુ ગૌડીય વૈષ્ણવ પરંપરામાં અનન્ય સ્થાન ધરાવે છે. તેટલું જ નહિ પરંતુ ભારતીય રસશાસ્ત્રના ક્ષેત્રે પણ તેનું પ્રદાન મહત્ત્વનું છે; જે શૃંગારને સ્થાને ભક્તિરસને શ્રેષ્ઠરસ તરીકે પ્રસ્થાપિત કરે છે જે શ્રીરૂપગોસ્વામીનું ક્રાન્તિકારી દર્શન છે. શ્રીરૂપગોસ્વામીએ શ્રીમદ્ ભાગવત્ પુરાણ, ગીતગોવિંદ વગેરે ગ્રંથોમાંથી ભક્તિરસના પ્રસ્થાપન સંદર્ભે શ્લોકો ટાંકી પોતાની પ્રસ્તુતિ કરી છે.
આશા છે, શ્રી ભક્તિરસામૃતસિન્ધુનો ગુજરાતી અનુવાદ સાહિત્યપ્રેમીઓ અને શ્રીકૃષ્ણભક્તિના રસમાં તરબોળ ભાવકોને આનંદના અમૃતસિન્ધુની અનુભૂતિ કરાવશે.