રાજેન્દ્ર પટેલ
રાજેન્દ્ર પટેલનાં વાચન-મનનના પરિશીલનના પરિપાકરૂપે આ પુસ્તકમાં લેખો રજૂ થયા છે. જેમાં ગુજરાતી ભાષાના મહત્ત્વના કવિઓ રાજેન્દ્ર શાહ, ઉમાશંકર જોશી, ઉશનસ્, ચિનુ મોદી, નિરંજન ભગતના સર્જન પછવાડેનાં વિશિષ્ટ પરિમાણો તારવ્યાં છે. સાથે જ, ગુજરાતી ભાષામાં રચાયેલા દરિયાવિષયક સાહિત્ય અંગે અને કાશ્મીરી કવયિત્રી લલ્લેશ્વરીનાં જીવન-કવન વિશે રસપૂર્ણ લેખો છે.