મૌલિન શાહ (ડૉ.)
આ પુસ્તકમાં સ્ટોરીટેલિંગ ફૉર્મેટમાં લખેલી હ્યુમન સ્ટોરીઝ એટલે માનવસંવેદનોની અનુભવકથાઓ છે. જેમાં થોડું વિજ્ઞાન ને ઝાઝી માનવીય લાગણીઓ છે.
અહીં રજૂ થયેલી વાર્તાઓમાં ડૉ. મૌલીન શાહે અનુભવેલાં અને તારવેલાં સંવેદન ભાવકના લાગણીતંત્રને કરુણાના સંસ્કાર આપે છે.
અલગ અલગ વાર્તાઓમાં વ્યક્ત થયેલા આ વિચારો એમના ભાવવિશ્વ અને વ્યવહારજગતનો પરિચય આપે છે. આ દુનિયામાં જ્યાં લોકો માત્ર પોતાનો જ ફાયદો જોતાં હોય ત્યારે ફરજને વળગી રહેવું એ બહુ મોટો ગુણ છે. બે-ત્રણ પ્રકરણો વાંચવાની ફુરસદ છે એમ સમજીને હાથમાં લીધેલું પુસ્તક એકબેઠકે પૂરું વાંચી લેવાની ઉત્કંઠા જગાડે એવું છે.