અંકિત ત્રિવેદી
અંકિત ત્રિવેદીની મૂળભૂત તાસીર એક સંવેદનશીલ કવિની હતી, છે અને રહેવાની છે તે સત્યની નક્કર પ્રતીતિ કરવી હોય તો આ કાવ્યસંગ્રહમાંથી પસાર થઈ જવું. 83 ગઝલો, 17 ગીતો અને છ અછાંદસ મળીને કુલ 100 પદ્યકૃતિઓનો આ સંગ્રહ ભાવકને એક વિશિષ્ટ સંવેદનસૃષ્ટિમાં લઈ જાય છે. કસદાર કવિતાઓનું રસદાર પુસ્તક.