રાજેન્દ્ર પટેલ
સાહિત્યરસિક રાજેન્દ્ર પટેલને અનુવાદપ્રવૃત્તિના કારણે વિદેશી સાહિત્યનો ગાઢ પરિચય થયો. વિશ્વસાહિત્યના પ્રતિભાશાળી કવિ-લેખકોનો અને તેમનાં લેખનનો ગુજરાતી વાચકોને પરિચય થાય તેવા ઉમદા હેતુથી આ પુસ્તક લખાયું છે. પુસ્તકમાં પાબ્લો નેરુદા, લૉર્કા, માર્ગરેટ એટવુડ જેવા વિશ્વપ્રસિદ્ધ સર્જકો સહિત વીસમી સદીના ઉત્તરાર્ધના જૉસેફ બ્રૉડ્સ્કી, સીમસ હીની, ડેરેક વોલકોટના સર્જનને ભાવવાહી ભાષામાં રસાળ શૈલીએ રજૂ કર્યું છે. જે-તે કવિની મૂળ કવિતા અથવા અંગ્રેજી અનુવાદ સાથે ગુજરાતી અનુવાદ જે-તે કવિના સર્જનને સમજવામાં ઉપયોગી બને છે.