Details

  1. home
  2. Products
  3. જય

જય

Jaya

By: Devdutt Pattanaik
₹725.00

મહાભારત - અધર્મ પર ધર્મની જીત પ્રસ્થાપિત કરતું પ્રાચીન મહાકાવ્ય...
દેવદત્ત પટ્ટનાયક - વેદ, પુરાણ અને ઉપનિષદોના અભ્યાસુ અને પ્રસિદ્ધ માયથોલૉજિસ્ટ.

‘જય’ - મહાભારતનું મૂળ નામ. આ મૂળ નામની જેમ જ તેમાં રહેલા મૂળ ભાવાર્થ લોકો સુધી પહોંચાડવા દેવદત્ત પટ્ટનાયકે પોતાની સરળ અને રસપ્રદ શૈલીમાં લખ્યું પુસ્તક. જેની બે લાખથી વધુ નકલો બહાર પડી ચૂકી છે એવું આ બેસ્ટસેલર પુસ્તક હવે ગુજરાતી વાચકો માટે પ્રસ્તુત છે ગુજરાતીમાં, જેનો ભાવાનુવાદ કર્યો છે લોકપ્રિય લેખિકા કાજલ ઓઝા વૈદ્યે.

પાપ-પુણ્ય, શાપ-વરદાન, ધર્મ-અધર્મના તાણાવાણામાં ગૂંથાયેલી આ કથા અનેક પ્રશ્નો સર્જે છે. એ પ્રશ્નોનું તર્કસંગત અર્થઘટન કરતું આ પુસ્તક વાચકને મહાભારતના સત્ય તરફ દોરી જાય છે અને આ કથાના ઉદ્દેશને સાર્થક કરે છે.

નેપાલથી લઈને ઇન્ડોનેશિયા સુધી અને ગુજરાતથી લઈને તામિલનાડુ સુધી કહેવાતી અને સંભળાતી આ ગાથામાં સ્થળ અને કાળ પ્રમાણે પ્રસંગો અને પાત્રો ઉમેરાતાં ગયાં. આ ક્ષેત્રીય કથાનકોના પ્રસંગોપાત્ત ઉલ્લેખ દ્વારા એક તુલનાત્મક દૃષ્ટિકોણ પણ આ પુસ્તકમાં પ્રસ્તુત કરાયો છે જે મહાભારતની વ્યાપકતાનો પુરાવો પૂરો પાડે છે.

દેવદત્તે કથાના દરેક પ્રસંગનું પોતે જ દોરેલાં આશરે ૨૫૬ ચિત્રો દ્વારા વર્ણન કર્યું છે, જે કથાના આલેખનને યથાયોગ્ય દૃશ્ય પૂરું પાડી વાચકને અનેરો અનુભવ કરાવે છે.

Product Details

  • Pages:400 pages
  • Language:Gujarati
  • Format:Paperback