નિરંજન રાજ્યગુરુ
ગુજરાતી સંતસાહિત્ય તથા સંતસાધનાની વિભિન્ન ભૂમિકાઓ સાથે સંતવાણી–ભજન વિશે વિવિધ દૃષ્ટિકોણથી પરિચય અહીં અપાયો છે. ‘સંતસાહિત્યમાં સૌંદર્યબોધ’, ગુજરાતનાં સંતસ્થાનકો વિશે ‘જગ્યાઓ જાગે’ શીર્ષકથી હાલની પરિસ્થિતિ અને એ સ્થાનો દ્વારા સાહિત્ય પ્રકાશનના ક્ષેત્રમાં પ્રવર્તતી ઉદાસીનતા, સંતકવિઓ દ્વારા રચાયેલી ભજનવાણીમાં અંતર્યાત્રા અને સાધનાને લીધે પ્રાપ્ત થયેલી ખુમારી–મસ્તી દર્શાવતી રચનાઓ વિશે ‘ગુરુગમ પ્યાલા પીયા’, મધ્યકાલીન સર્જકો દ્વારા રચાયેલ અને લોકકંઠે સચવાયેલ ‘રાવણ મંદોદરી સંવાદ’ રચનાઓના સંકલન તથા સંતસાધનામાં ગુણપતિ વંદનાના રહસ્ય સાથે અખંડાનંદ પરમહંસથી શરૂ કરીને હંસસાહેબ સુધીના મધ્યકાલીન તથા અર્વાચીન સમયના, વર્ણાનુક્રમે બેતાલીશ સંતવાણી સર્જકોની વાણીનો – સર્જક પરિચય, ભજનભૂમિકા અને શક્ય હોય તેટલું અર્થઘટન કે સમજૂતિ સાથે આસ્વાદ આ પુસ્તક કરાવે છે.