શૈલેશ પારેખ
‘આત્મપરિચય’ શીર્ષક અત્યંત સૂચક છે. અહીં આત્મકથા નથી, જીવનવૃત્તાંત નથી, માત્ર પોતાની અંગત દ્રષ્ટિએ પોતાનો પરિચય આપવામાં આવ્યો છે. હકીકતો અને વિગતોને અહીં સ્થાન નથી. આ લેખોમાં જીવનના વિવિધ તબક્કે (૪૩, ૫૦, ૫૬, ૭૦ અને ૭૯ વર્ષની ઉંમરે) રવીન્દ્રનાથે કરેલા ‘આત્મનિરીક્ષણ’નો નિષ્કર્ષ પ્રગટે છે.
આ નિબંધોમાં રવીન્દ્રનાથ પોતે પોતાના કાવ્યોની સર્જનાત્મક પ્રક્રિયા વિશે, પોતાની ધર્મની વિભાવના વિશે, આ વિભાવનાના વિકાસ વિશે તેમ જ પોતાના જીવનમાં, પોતાના આગવા અને અંગત ઈશ્વરે ભજવેલ ભાગ વિશે લંબાણપૂર્વક અને નિખાલસતાથી વાત કરે છે.
દરેક રવીન્દ્ર-અનુરાગીને વિવિધ (નાના) રવીન્દ્રનાથની વચ્ચેથી પોતાના અંગત રવીન્દ્રનાથ શોધવામાં આ નાનકડું પુસ્તક મદદરૂપ થઈ પડશે.