ધીરેન્દ્ર મહેતા
પ્રકૃતિ, સંસ્કૃતિ અને માનવીય સંબંધોના ત્રિવેણી સંગમથી છલોછલ આ વાર્તાઓમાં ધીરેન્દ્રભાઈની વિચારશીલ પ્રકૃતિ, અભ્યાસવૃત્તિ, નિરીક્ષણશક્તિ અને માનવમનને જાણવાની ઉત્સુકતા પ્રગટ થયા વિના રહેતા નથી. તેમજ આ પ્રવાસવાર્તાઓ વાચકને પણ પ્રવાસી બનાવી દે છે.
₹275.00
ભાગ્યેશ જહા
આપણે આપણા જીવનમાં અનેક વ્યક્તિઓને મળતા હોઈએ છીએ, પરંતુ એમાંની કેટલીક વિશિષ્ટ વિભૂતિઓ આપણા પર ઊંડો પ્રભાવ પાડી જાય અને અને આપણને યાદ રહી જાય છે. ભાગ્યેશભાઈએ પોતાને સ્પર્શી ગયેલી આવી જ વિભૂતિઓ પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કર્યો છે આ પુસ્તકના માધ્યમથી.
દીનેશ કાનાણી
હાઇકુથી મોટાં અને પ્રલંબ અછાંદસ કાવ્યથી નાનાં એવાં અનોખાં લઘુ અછાંદસ કાવ્યોનો સંગ્રહ એટલે ‘શબ્દ જોડી કાંઈ કવિતા થઈ નહીં’. ગાગરમાં સાગરસમો આ કાવ્યસંગ્રહ આજના વાચકોને નવા સંવેદનજગતનો પરિચય કરાવશે.
₹225.00
શ્રી ભાણદેવજી
જીવનભર કૃષ્ણપ્રેમપંથનું અનુસરણ કરનાર અને સમાજમાં હરિનામ સંકીર્તનનો પ્રસાર કરનાર પ્રભુ જગદ્બંધુનું જીવન પ્રભુસંકીર્તનનો મહિમા આ પુસ્તકમાં સમજાવે છે.
₹300.00
જે. એસ. રવિચંદ્ર
ઝેન ઓપસ પ્રસ્તુત કરે છે પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધનનો સંદેશ આપતી પર્યાવરણકથા.જે પૃથ્વીની સલામતી અને સંવર્ધનની જાગૃતિ ફેલાવે છે.આ પુસ્તક ભવિષ્યની પેઢીઓને સ્વાસ્થ્ય અને સુખાકારીનો વારસો સોંપવાનો સંદેશ આપે છે.
J. S. Ravichandra
Zen Opus presents an environment story ‘Sarg: The Kosmoss’ that spreads the awareness of earth’s safety and enrichment. The book conveys the message of passing on a legacy of health and well-being to future generations.