વંદના શાંતુ-ઇન્દુ
કીડીની સૂક્ષ્મ દુનિયામાં પોતાની કલ્પનાઓના લેન્સથી ઝૂમ-ઇન કરે છે લેખિકા વંદનાબહેન અને સર્જે છે બાળવાર્તાસંગ્રહ ‘અળવીતરી કીડીબાઈ’. કીડીબાઈનાં અવનવાં સાહસો અને વંદનાબહેનની અવનવી કલ્પનાઓ બાળકોને પોતાના આગવા કલ્પનાવિશ્વમાં રાચતાં કરી દેશે.
₹150.00
હસમુખ કે. રાવલ
શબ્દોનાં કોડિયાં અને સંવેદનોની જ્યોતથી ભાવોનું અજવાળું પાથરતો કાવ્યસંગ્રહ એટલે હસમુખભાઈ રાવલનો અછાંદસ કાવ્યસંગ્રહ ‘અજવાળાં લ્યો અજવાળાં’.
₹200.00
કાનજી પટેલ
આદિવાસીઓ અને વિમુક્ત, વિચરતી જનજાતિઓના અંધકારભર્યા જીવન અને તેમની પીડાને વાર્તાઓના સ્વરૂપે આપણી સમક્ષ મૂકાઈ રહ્યા છે વાર્તાસંગ્રહ ‘ડેરો’ દ્વારા.
₹325.00
ગુલઝાર સાહેબ
ગુલઝારજીની નજાકતભરી કવિતાઓમાં પ્રિયપાત્રના મિલનથી જુદાઈ અને આગમનથી વિદાય સુધીની વિવિધ પળો ઝીલાતી હોય છે. આ કવિતાઓનો રઈશ મનીઆરે કરેલો ગુજરાતી અનુવાદ એટલે 'બંધ કાચની પેલે પાર'.
₹300.00
ગુલઝારસાહેબ લિખિત હિન્દી પુસ્તક ‘મિર્ઝા ગાલિબ – એક સ્વાનહી મંઝરનામા’નો રઈશભાઈ મનીઆર દ્વારા થયેલો ગુજરાતી અનુવાદ ‘મિર્ઝા ગાલિબ – એક વીતક એક કથાનક’.
₹600.00
₹500.00
રાજેશ વાઘેલા
સોશિયલ મીડિયા પર રીલ જોવા જેટલા સમયમાં એક સુંદર વાર્તા વાંચવા મળે તો? ખૂબ જ ઓછા શબ્દોમાં લખાતી અને ટૂંકી વાર્તાની તુલનામાં નાના કદની વાર્તાઓને લઘુકથા તરીકે ઓળખવામાં આવે છે.ઓછામાં વધુ કહી જતી ગાગરમાં સાગર સમી આ લઘુકથાઓ નવી અભિવ્યક્તિનો પરિચય કરાવશે.
₹175.00
કાજલ ઓઝા વૈદ્ય
આજના અતિવ્યસ્ત તનાવયુક્ત અને ટૅક્નૉલૉજીથી ઘેરાયેલા યુગમાં મનના વહેમો, સંબંધોની ગૂંચવણો અને રોજિંદા માનસિક તનાવને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજાવતું આ પુસ્તક એક ઉત્તમ માર્ગદર્શક સાબિત થશે.