મનીષા રાઠોડ
પ્રેરક પ્રસંગો અને ઘટનાઓ દ્વારા જીવનની મૂંઝવણને ઉકેલી તેને સમજવા માટેનો રસ્તો બતાવતું આ પુસ્તક દરેક વાચકને સ્પર્શી જઈ જીવનનો હેતુ સિદ્ધ કરવામાં મદદ કરશે.
₹300.00
શ્રી ભાણદેવજી
સૂર્ય અને ચંદ્રવંશના પ્રાગટ્યની સમજૂતી સાથે શરૂ થતું આ પુસ્તક પ્રાચીન ભારતની અનેક પરંપરાઓ,વિચારધારાઓ અને સંસ્કૃતિનો પરિચય કરાવી વાચક સમક્ષ એ મહાન યુગને જીવંત કરી મૂકે છે સાથે આ પુસ્તક વાચકને મહાભારતના રસપાનની પણ અનુભૂતિ કરાવશે.
₹375.00
ગોપાલ ધકાણ
નિબંધોમાં આવતાં પાત્રોની લાક્ષણિકતાઓ અને ઉદ્ભવતા ભાવોનું વર્ણન અનેરો વિનોદ પ્રગટાવી નિબંધોને આસ્વાદ્ય બનાવે છે. ગુજરાતી સાહિત્યમાં ઓછા ખેડાતા એવા પ્રકાર હાસ્યનિબંધોમાં ગોપાલભાઈનો આ સંગ્રહ તાજગી અને નવીનતાનો પડઘો પાડશે.
પાર્થ માંકડ ડૉ.
સ્વાસ્થ્ય એટલે માત્ર શારીરિક સ્વસ્થતા નહીં,પરંતુ માનસિક અને આત્મીય ઊર્જાનું સમસ્થિતિમાં હોવું,રોગનાં કારણ માત્ર બાહ્ય નહીં,પરંતુ આંતરિક પણ હોઈ શકે છે પાયાની સમજણ સાથે શરૂ થતું આ પુસ્તક હોમિયોપથીના સિદ્ધાંતોને સરળ અને સહજ ભાષામાં રજૂ કરે છે.
₹200.00
મૌલિન શાહ (ડૉ.)
ઇન્ટરનેટના યુગમાં ઊછરી રહેલી પેઢીને સલાહ આપવાને બદલે આ વાર્તાઓ રસપ્રદ વાતો દ્વારા આડકતરી રીતે સુંદર સંદેશ આપી આલ્ફાપેરન્ટિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સાથે આ વાર્તાઓ બાળક સાથે સ્નેહ અને સંવાદનો એક મજબૂત સેતુ બાંધી આપશે.
₹400.00
રાજેન્દ્ર પટેલ
આપણી ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર ભગતસાહેબના નિજી તેમ જ સર્જક વ્યક્તિત્વનાં વિવિધ પાસાંને ઉજાગર કરતું આ પુસ્તક સાહિત્યના વિદ્યાર્થીઓ, સંશોધકો અને કવિતાના આસ્વાદકો માટે દિશાસૂચક બની રહેશે.
ગૌરાંગ દિવેટિઆ
સંગ્રહમાં સામેલ ગીતો અને ગઝલો મહદ્ અંશે વિચારપ્રધાન ન હોવા છતાં ઊર્મિપ્રધાન હોઈ વાચકની આસપાસ એક અનોખું ભાવવિશ્વ ખડું કરે છે. મોઘમ સંવાદ, ઊર્મિસભર અભિવ્યક્તિ અને ગેયતા સાથે રચાયેલાં આ કાવ્યો વાચકોને શુદ્ધ કાવ્યોનો આનંદ પીરસી રસતરબોળ કરે છે.
₹225.00
જીવરામ જોશી
એક નાનકડા નગરમાં પોતાની પત્ની રંગલી સાથે રહેતો રંગલો પૈસાની અછત અનુભવે છે અને પહોંચી જાય છે રાજાના દરબારમાં તેમને ખુશ કરી સોનામહોર જીતવાની આશા સાથે. ત્યાં દરબારમાં પધારેલા અક્કલશંકર આકાશની ટોચ પર ચડવા માટે પડકાર ફેંકે છે.
₹350.00