ભૂપત વડોદરિયા
માણસને બધું જ માણવું હોય છે, પણ પોતાના સમયને જ માણવાનું ભૂલી જાય છે.
આખી દુનિયા સાથે દોસ્તી કરવી હોય છે, પણ પોતાની જાત સાથે જ મિત્રતા કરવાનું ભૂલી જાય છે. સરવાળે થાય છે એવું કે માણસ પોતાના માર્ગથી જ ભટકી ગયો હોય એવું એને લાગવા માંડે છે.
થોડુંક દુઃખ પડે તો માણસ ઘાંઘો થઈ જાય છે. ઘડીકમાં માણસને એવું લાગવા માંડે છે કે મારું કોઈ નથી.
માણસ ભગવાનને પણ દોષ દેવા માંડે છે કે મારી સાથે જ આવું શા માટે? હું જ કેમ?
મારા દરેક શબ્દનું સર્જન અંતે તો વાચકો માટે જ હોય છે. વાચકના દિલને સ્પર્શે ત્યારે સર્જન અને શબ્દો સાર્થક થાય છે. આ પુસ્તક કોઈના જીવનમાં તસુભરનું પરિવર્તન પણ લાવે તો એ મોટી ઘટના હશે... મારા શબ્દો આંખોથી ઝીલી દિલ સુધી લઈ જનાર દરેક વાચકને સલામ...