આર. ડી. પટેલ
કોઈને બીડી, સિગારેટ કે દારૂનું, તો કોઈને પૈસા, પ્રતિષ્ઠા, સત્તાનું - વ્યસન કોને નથી? આપણે જે પણ કાંઈ કરીએ છીએ શું એ વાજબી છે? ઇઝ ઇટ વર્થ? સંબંધો સાચવવા તો કેવી રીતે? આપણે ભણેલા છીએ કે ગણેલા, એ નક્કી કેવી રીતે થાય? જીવવું તો કેવી રીતે? આવા અનેક પ્રશ્નો અને તેના સમાધાન શોધવાની દોડમાં જિંદગી આમતેમ આંટાફેરા મારતી રહે છે. આ પ્રશ્નોની રસપ્રદ ચર્ચા અને એનું સમાધાન આપવાનો પ્રયાસ કરે છે લેખક આર. ડી. પટેલ પોતાના નવા પુસ્તક ‘આંટાફેરા આમતેમ’માં.
સંજોગો અને સમીકરણોમા ગૂંચવાતા જીવનની અનેક પરિસ્થિતિઓની તાર્કિક નિષ્કર્ષ સાથે છણાવટ કરતું આ પુસ્તક વાચકને કશુંક નવું વિચારવાની દિશા પૂરી પાડે છે.