આર. ડી. પટેલ
‘મને...’ શ્રેણીનું મનોવિશ્લેષક નિબંધોનું આ ત્રીજું પુસ્તક ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે. પહેલા વિભાગમાં 12, બીજામાં 13 અને ત્રીજા વિભાગમાં શીર્ષક નિબંધનો સમાવેશ થયો છે. અમેરિકાસ્થિત સાયકોથેરાપિસ્ટ આર. ડી. પટેલ પ્રસ્તાવનામાં લખે છે, “મારો અનુભવ, શિક્ષણ અને મારી તાલીમ ઉપરાંત નવેક વર્ષના ગુજરાતી કુટુંબોના સીધા સંપર્કોમાંથી મને જે જાણવા, અનુભવવા મળ્યું છે એ બધું, માણસની લાગણીઓ અને વર્તનને ધ્યાનમાં રાખી આ પુસ્તકમાં વ્યક્ત કરવાનો એક નમ્ર પ્રયત્ન છે.” આ પુસ્તકની બે આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે. પહેલા વિભાગમાં જીવન વિશે, તેના સંઘર્ષો અને જીવન જીવવાની કલા વિશે, બીજા વિભાગમાં જીવનની શિસ્ત, કસોટી, ઉદ્દેશો, વિચારસરણી અને જીવનશૈલી વિશે સાદી-સરળ ભાષામાં આલેખન થયું છે.