વીનેશ અંતાણી
આકસ્મિક મૃત્યુના પ્રચંડ ધડાકા પછી ચારે બાજુ વેરાયેલી અસંખ્ય કરચોની જેમ પરિવારમાં પાછળ રહી જતી વ્યક્તિઓનું જીવન વેરણછેરણ થઈ જાય છે. મૂળ ઘટનાના અનુરણનો એમના મન અને જીવનમાં પડઘાતાં રહે છે. સુપ્રસિદ્ધ સર્જક વીનેશ અંતાણીની એવા અનેક પ્રતિઘોષની અત્યંત સંવેદનશીલ નવલકથા ‘અનુરવ’.